25 ઑગસ્ટ, 2019

સંયુક્ત ફેમિલીમાં રહેવાના આ છે ગજબ ફાયદાઓ 



સંયુક્ત ફેમિલની નીંવ એ જ છે કે જેમાં બધા જ પરિવાર એકબીજા સાથે પ્રેમથી રહે છે. જો કે આજની બદલતી વિચારશૈલીના કારણે કપલ લગ્ન બાદ તેના માતાપિતાથી અલગ થઈ જવાનું પસંદ કરે છે. આજે આ જ ઘર-ઘરની કહાણી છે. જો કે પરિવારથી અલગ થઈને કપલે બહુ બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો આપ મેરેજ બાદ આવું કંઇક વિચારતા હો તો પહેલા જોઈન્ટ ફેમેલિમાં રહેવાના ફાયદા સમજી લો.

 જોઈન્ટ ફેમિલીના ફાયદા 

1-લડાઈ ઝઘડા તો દરેક ઘરમાં થાય છે પરંતુ પરિવાર સાથે મળીને મસ્તી મજાક અને આનંદ કરવાનો જે અવસર સંયુક્ત ફેમેલિમાં મળે છે તે વિભક્તમાં નથી મળતો. ખાસ કરીને જ્યારે કોઇ ફેસ્ટીવલ હોય તો પરિવારના સભ્યો જે રીતે મળીને તેને સેલિબ્રેટ કરે છે. જેની મજા અનેરી હોય છે.

2-પરિવારથી અલગ રહેવાનો એક ગેરફાયદો એ પણ છે કે, બધા જ કામ એકલાએ જ કરવા પડે છે. કામનું શેરિંગ નથી થતું જ્યારે સંયુક્ત પરિવારમાં કામ વહેંચાય જાય છે. બધા સાથે મળીને કામ કરતા હોવાથી બોજ વહેંચાય જાય છે અને સરળતાથી બધા જ કામ પાર પડી જાય છે.

3-જે બાળક સંયુક્ત પરિવારમાં ઉછેરે છે તે બાળકની માનસિકતા વિભક્ત કુંટુંબમાં ઉછેરલા બાળક કરતાં તદન અલગ હોય છે. સંયુક્ત ફેમિલિમાં ઉછેરલ બાળકમાં શેરિંગના સંસ્કાર આવે છે. જે એડજસ્ટમેન્ટ પણ કરી લે છે જ્યારે વિભક્ત પરિવારમાં બાળક જિદ્દી અને અડિયલ અને સ્વાર્થી થવાની શક્યતા વધે છે. સંયુક્ત પરિવારમાં બાળક નાનેથી તેના ભાઈ બહેનને મુશ્કેલીમાં મદદ કરવાનું શીખે છે.


4-સંયુક્ત ફેમિલીનો બીજો ફાયદો એ પણ છે કે બાળક દાદા-દાદીના લાડ પ્યાર વચ્ચે સારી રીતે ઉછરે છે. બીજો ફાયદો એ પણ છે કે માતાપિતાની ગેરહાજરીમાં બાળક સચવાય જાય છે. બાળકનું ટેન્શન નથી રહેતું. બાળકને કોઈ પારકા હાથમાં સોંપવું પડતું નથી.


5– જોઈન્ટ ફેમિલીનો બીજો ફાયદોએ પણ છે કે બાળક સુખ-દુ:ખને વહેંચતા અને એકબીજાને સારી-નરસી ઘડીમાં મદદ કરવાનું શીખે છે. સંયુક્ત ફેમિલીમાં કોઈ વ્યક્તિ પર મુશ્કેલી આવે તો આખોય પરિવાર તેની સપોર્ટ માટે તેની પડખે ઉભો રહે છે. બાળકના માનસ પર આ બધી જ ઘટના સારો પ્રભાવ પાડે છે અને તે પણ મુશ્કેલીમાં મદદરૂપ થવાનું શીખે છે.

6. આજનો સમય એવો છે કે જેમાં દસ પરિવારમાંથી સાત પરિવારમાં કપલ વર્કિંગ હોય છે. બંનેને ઘર છોડીને 7થી 8 કલાક બહાર રહેવું ફરજિયાત હોય છે. આ સમયે કપલને ઘરમાં ચોરીની ચિંતા સતાવે છે તો બીજી તરફ બાળકને ડે કેર સેન્ટરમાં મૂકવું પડે છે. સંયુક્ત ફેમેલિમાં આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત જ નથી થતાં.


7. જો તમે જોઈન્ટ ફેમેલીમાં રહો છો તો બહારનું ફૂડ લેવાની જરૂરત જ નથી પડતી. સંયુક્ત ફેમિલિમાં જો પત્ની બહાર ગઈ હોય તો મમ્મી, કાકી કોઈને કોઇ ઘર પર તો હોય જ છે. આ સ્થિતમાં હંમેશા ઘરનું હાઇજેનિક ફૂડ જ મળે છે. આ રીતે હર્યાં ભર્યાં સંયુક્ત પરિવારમાં રહેવાના નુકસાન કરતા ફાયદા વધુ છે.

આજના સમાજમાં 
દિકરી લેવી હોય તો.. સંયુક્ત કુટુંબમાંથી 
દિકરી દેવી હોય તો.. વિભક્ત  કુટુંબમાં
આ માનસીકતા થી ઉપર ઉઠો... 

વિભક્ત  કુટુંબમાંથી સંયુક્ત કુટુંબમાં આવેલ દિકરીઓ વધું ખુશ છે...

ડીપ્રેશનમાં નો શિકાર બનતા વ્યક્તિઓ મોટા ભાગે વિભક્ત  કુટુંબના હોય છે, જયાં વાતનુ સહજતાથી શેરીંગ થતુ નથી..   સંયુક્ત કુટુંબ, સુખી કુટુંબ    વિવાહીત કપલ, યુવા દિકરા-દિકરી ખાસ વિચારે...

ૐ ના જાપથી ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ પ્રોબ્લેમ દૂર થાય છે.
ૐ ના જાપથી ગભરામણ જેવી સમસ્યા દૂર થાય છે.             
ૐ ના જાપથી માનસિક શાંતિ,ટ્રેસ અને ટેનશનમાંથી કાયમી મુક્તિ મળે છે.   
ૐ ના જાપથી બોડીમાં બ્લડસર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. 
ૐ ના જાપથી બીપી નોર્મલ રહેછે જેથી હાર્ટ એટેકથી બચી શકાય છે.   
ૐ ના જાપથી પેટમાં વાઈબ્રેશન થાય છે જેથી પાચનશક્તિ મજબૂત બને છે. 
ૐ ના જાપથી ફેફસાને વધારે ઓક્સીઝન મળવાથી એનર્જી સારી મળે છે.         
ૐ ના જાપથી થાક દૂર થાય છે જેથી ફ્રેશનેસનો અનુભવ થાય છે.           
ૐ નોસુતા પહેલા ઉચ્ચારણ કરવાથી ઊંઘ તરત ને સારી આવે છે.   

ૐ ના જાપથી શરીરમાં લંગ્સ ની ક્ષમતામાં વધારો થવાથી બોડીમાં ઓક્સિજન વધારે મળે છે.                                 .                                       .
ૐ ના ઉચ્ચારણથી સ્પાઈનલ કોર્ડમાં વાઈબ્રેશન થાય છે જેથી કરોડરજ્જુ મજબૂત બને છે જેના કારણે કમરની તકલીફ દૂર થાય.           
ૐ ના ઉચ્ચારણથી બ્રેઇનમાં વાઈબ્રેશન થાય છે જેથી એકાગ્રતા વધે છે અને માઈન્ડ પાવર વધે જેથી યાદશક્તિ વધે છે.               
આમ રેગ્યુલર ૐ નો સતત જાપ કે ઊંડા શ્વાસ લઈને જો ઉચ્ચારણ કરવામાં આવે તો આપ ઘણાબધા રોગ મફતમાં દૂર કરી શકો છો.  





Full Form Of Some technical Words


» VIRUS - Vital Information Resource Under Seized.
» 3G -3rd Generation.
» GSM - Global System for Mobile Communication.
» CDMA - Code Division Multiple Access.
» UMTS - Universal Mobile Telecommunication System.
» SIM - Subscriber Identity Module .
» AVI = Audio Video Interleave
» RTS = Real Time Streaming
» SIS = Symbian
OS Installer File
» AMR = Adaptive Multi-Rate Codec
» JAD = Java Application Descriptor
» JAR = Java Archive
» JAD = Java Application Descriptor
» 3GPP = 3rd Generation Partnership Project
» 3GP = 3rd Generation Project
» MP3 = MPEG player-3
» MP4 = MPEG-4 video file
» AAC = Advanced Audio Coding
» GIF= Graphic Interchangeable Format
» JPEG = Joint Photographic Expert Group
» BMP = Bitmap
» SWF = Shock Wave Flash
» WMV = Windows Media Video
» WMA = Windows Media Audio
» WAV = Waveform Audio
» PNG = Portable Network Graphics
» DOC =Document (Microsoft Corporation)
» PDF = Portable Document Format
» M3G = Mobile 3D Graphics
» M4A = MPEG-4 Audio File
» NTH = Nokia Theme (series 40)
» THM = Themes (Sony Ericsson)
» MMF =Synthetic Music Mobile Application File
» NRT = Nokia Ringtone
» XMF = Extensible Music File
» WBMP = Wireless Bitmap Image
» DVX = DivX Video
» HTML = Hyper Text Markup Language
» WML =Wireless Markup Language
» CD -Compact Disk.
» DVD - Digital Versatile Disk.
» CRT - Cathode Ray Tube.
» DAT - Digital Audio Tape.
» DOS - Disk Operating System.
» GUI -Graphical
User Interface.
» HTTP - Hyper Text Transfer Protocol.
» IP - Internet Protocol.
» ISP - Internet Service Provider.
» TCP - Transmission Control Protocol.
» UPS - Uninterruptible Power Supply.
» HSDPA -High Speed Downlink Packet Access.
» EDGE - Enhanced Data Rate for Evolution.
» GSM- [Global System for Mobile Communication]
» VHF - Very High Frequency.
» UHF - Ultra HighFrequency.
» GPRS - General Packet Radio Service.
» WAP - Wireless Application Protocol.
» TCP - Transmission Control Protocol.
» ARPANET - Advanced Research Project Agency Network.
» IBM - International Business Machines.
» HP - Hewlett Packard.
» AM/FM - Amplitude/ Frequency Modulation

નાગરોના આરાધ્ય દેવ અને કુળદેવતા હાટકેશ્વરનો ઈતિહાસ :


અહાહાહા...કેટલા બધા નાગર (વડનગરા અને પ્રશ્નોરા) મિત્રો ! જુનાગઢી નાગર મિત્રની સાથે જતો હતો અને સામે રાજકોટી નાગર મિત્ર મળ્યા કે તરત જ બન્ને નાગર બંધુઓએ લહેજતદાર અને એકદમ નાગરી મીઠા સ્વરમાં ‘જય હાટકેશ’ બોલી જય એકબીજાનું સન્માન કર્યું ત્યારે મારા માટે એ પળ માણવા જેવી હતી. એક અનેરો ભાત્તૃભાવ બન્નેના ચહેરા ઉપર છલકાતો હતો.

અને આ જય હાટકેશ શબ્દ મને છેક તેના મૂળ વડનગર સુધી લઈ ગયો અને હાટકેશ ભગવાનનો એક આખો શબ્દદેહ મનમાં ઉતરી આવ્યો. નાગરોના કુળદેવતા હાટકેશ્વરનો ઈતિહાસ બહુ રોચક અને ઐતિહાસિક રહસ્યોથી ભરપૂર છે અને તેની શરૂઆત થાય છે વડનગરથી કે જેના પરથી વડનગરા નાગર સદગૃહસ્થ શબ્દ ઉતરી આવ્યો છે.

ગુજરાતમાં ઉતર દિશામાં આવેલ વડનગર એક પ્રાચીન અને ઐતિહાસિક ભૂમિ કે નગરી ગણાય છે. હમણાં જ જિર્ણોધાર થઈ કાયાકલ્પ પામેલું આ નગર ‘મંદિરોની નગરી’ તરીકે પણ ઓળખાય છે. વિખ્યાત ગાયિકાઓ તાના, રિરિની ભૂમિ એવી આ નગરી કલાપ્રેમી એવા નાગરોના કુળદેવતા ભગવાન હાટકેશ્વરના મંદિર માટે પણ જગપ્રસિદ્ધ છે.

ભગવાન હાટકેશ્વર એટલે નટરાજ એટલે કે શંકર ભગવાન. આ મંદિરનું નિર્માણ તેરમી શતાબ્દીમાં થયું હતું. એવું મનાય છે અને અગાઉ પણ આ સ્થળે એક મંદિર તો હતું જ તેનો જીર્ણોધાર કરીને અત્યારે જે મંદિર છે તેનું નિર્માણ થયું છે. અનેક પ્રાચીન ગ્રંથોમાં આવતા સંદર્ભોને આધારે એવું કહી શકાય કે અહીંનું મૂળ મંદિર તો મહાભારત કાળથી પણ પ્રાચીન હતું.

વર્તમાન મંદિરનું નિર્માણ સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિથી થયું છે. પૂર્વાભિમુખ એવા આ મંદિરના નૃત્યમંડપ ઉપર ભવ્ય ઘુમ્મટ છે. જ્યારે મંદિરનું ગર્ભગૃહ નૃત્યમંડપની સપાટી કરતાં નીચું છે. ગર્ભગૃહમાં વિશાળ શિવલિંગ છે અને અને તેની ઉપર ભવ્ય શિખર છે. સમગ્ર મંદિર રતાશ પડતા સેન્ડ સ્ટોન પ્રકારના પથ્થરોથી બનેલું છે તથા તેની ઉપર મનોહારી કોતરકામની શિલ્પકળા દ્વારા રામાયણ, મહાભારત, પુરાણો તથા અન્ય પ્રાચીન ગ્રંથોની કથાઓ કલાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. એક પણ પથ્થર કોતરણી વિનાનો નથી. આ કલાત્મક કોતરકામને કારણે પણ હાટકેશ્વર ભગવાનનું મંદિર પ્રસિદ્ધ છે. મંદિરમાં ભગવાનની ત્રિકાળ આરતી અને પૂજાઅર્ચના થાય છે.

નાગર પ્રજા ભગવાન શંકરને આરાધ્ય દેવ ગણે છે. તે અંગેની ઘણી કથાઓ પ્રચલિત છે. ભગવાન શંકર નગાધિરાજ હિમાલયમાં આવેલા કૈલાસમાં નિવાસ કરે છે. નગ એટલે પર્વત. નગ ઉપરથી નગર શબ્દ બન્યો. જેનો અર્થ થાય છે પર્વતમાં નિવાસ કરનાર. આપણા પુરાણોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શિવના પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી સાથેનાં લગ્નની ઘટના સાથે પણ નાગર પ્રજા સંકળયેલી હતી. સ્કંદ પુરાણમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શિવ અને પાર્વતીનાં લગ્ન નાગર બ્રાહ્મણે કરાવી આપ્યાં હતાં. તેથી પ્રસન્ન થઈ શંકર ભગવાને હાટકેશ્વર ક્ષેત્રની ભૂમિ નાગરોને વસવાટ કરવા માટે આપી હતી.

એક ઐતિહાસિક કથા મુજબ હાટકેશ્વર વિસ્તારમાં રહેતો કૃત નામનો એક બ્રાહ્મણ યુવક પરિભ્રમણ કરતા કરતા નાગભૂમિમાં પહોંચ્યો. ત્યાં તેને નાગપ્રજાના રાજકુમાર ર્રૂદ્રામલ સાથે કોઈ કારણવશાત્ સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં રાજકુમાર રૃદામલનું મૃત્યુ થયું. પુત્રના મૃત્યુથી ક્રોધિત થયેલા નાગરાજાએ એ બ્રાહ્મણની સમગ્ર જાતિનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. હજારો વિષધર નાગો કૃતના નગર હાટકેશ્વર ક્ષેત્ર ઉપર ઉમટી પડયા અને જીવલેણ ડંખ મારીને બ્રાહ્મણોને મૃત્યુશૈયા પર પાથરી દીધા.

અસંખ્ય નાગના આક્રમણથી ગભરાયેલા બ્રાહ્મણો નગર છોડીને ભાગ્યા અને ત્રિજટ નામના એક સાધુના શરણે ગયા. સંત ત્રિજટે આ બ્રાહ્મણોને નાગના વિષથી બચવા ભગવાન શંકરના શરણે જવા કહ્યું, તેથી બ્રાહ્મણોએ શંકર ભગવાનની આરાધના કરી. વર્ષોની આરાધનાથી પ્રસન્ન થયેલા શંકર ભગવાને બ્રાહ્મણોને નાગરના ગરલ એટલે કે વિષની કોઈ અસર થશે નહીં તેવું વરદાન આપ્યું.

આમ ન-ગરલ શબ્દ ઉપરથી નાગર શબ્દ પ્રચલિત બન્યો. આજે પણ બ્રાહ્મણોમાં નાગરો શ્રેષ્ઠ ગણાય છે, કેમ કે તેઓ ના-ગર એટલે કે વિષ-દ્વેશભાવ વિનાના હોય છે. ભગવાન શંકરનું વરદાન મેળવ્યા પછી બધા બ્રાહ્મણો તેમની નગરીમાં પરત ફર્યા ત્યારે તે બધા જ વૃધ્ધ થઈ ગયા હતા તેથી તે નગર વૃધ્ધનગર એવા નામથી જાણીતું બન્યું. વૃધ્ધનગર શબ્દનો અપભ્રંશ એટલે આજનું વડનગર. આમ બધી જ કથાઓ નાગર પ્રજાને ભગવાન શિવ સાથે સાંકળે છે. તેથી નાગર પ્રજા માટે ભગવાન શિવ આરાધ્ય કુળદેવતા છે.

સન ૩૪૮માં વડનગરમાં નાગરોનું રાજ્ય હતું. તેથી જ નાગર બ્રાહ્મણોમાં લગ્ન પ્રસંગોએ બોલાતા ઉત્પામણીમાં સંવત ૪૦૪નો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. સંવત ૪૦૪ના સમયે સન ૩૪૮નું વર્ષ ચાલતું હતું.
એક ઐતિહાસિક વાયકા મુજબ ચિત્તોડગઢના મહારાજા બપ્પા રાવલ પણ મૂળતઃ આનંદપુરના નાગર બ્રાહ્મણ હતા. અને આનર્ત પ્રદેશ(અત્યારનું ઉત્તર ગુજરાત) ના રાજા ચમત્કારને એક શાપથી થયેલા કોઢને એક નાગર બ્રાહ્મણે ઔષધોપચાર કરીને મટાડયો હતો. આથી પ્રસન્ન થયેલા રાજાએ તે બ્રાહ્મણને ભારે ધનસંપત્તિ આપવાની ઘોષણા કરી. પરંતુ તે બ્રાહ્મણે તેના ઔષધોપચાર માટે ફૂટી કોડી લેવાની પણ ના પાડી. આથી આ સમગ્ર બ્રાહ્મણ પ્રજા પ્રત્યે કૃતજ્ઞાતા દર્શાવવા રાજા ચમત્કારે બ્રાહ્મણોના કુળદેવતા ભગવાન હાટકેશ્વરનું મંદિર બંધાવ્યું.

વડનગરના તોરણ દરવાજાના સ્તંભ ઉપરના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતના રાજા કુમારપાલના અમાત્ય વલ્લ એક નાગર હતા અને તેમણે વડનગરના કિલ્લાનું તથા એક શિવમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વડનગર ઉપર સતત થતા વિદેશી આક્રમણકારીઓથી ત્રસ્ત નાગર લોકોએ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં આશ્રય લીધો હતો, પરંતુ તેઓ જ્યાં પણ વસ્યા, ત્યાં તેમણે પોતાની આગવી પંરપરાઓ યથાવત્ રાખી.

નાગરોએ શિવભક્તિ માત્ર વડનગરના હાટકેશ્વર મંદિર સુધી જ સીમિત ન રાખતાં, જ્યાં જ્યાં તેઓ સ્થાયી થયા ત્યાં ત્યાં દેશ વિદેશમાં પણ શૈવમતનો પ્રસાર કર્યો તે પ્રકારના ઉલ્લેખો અનેક જગ્યાએ મળી આવે છે.

 બરફના ફાયદાઓ વિષે નીચેના તથ્યો જાણી તમને આશ્રચર્ય થશે.

1. કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો ! દવા કડવી નહિ લાગે !

2. માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!

3. શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે !

4. હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !

5. શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે !

6. નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે !

7. ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે !

8. પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે !

9. વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે !

10. આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે !

11. ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે !


12. દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય !

13. ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !

B12 વધારવા માટેઃ
=============
૧૦૦ ગ્રામ દેશી ગોળ
  ૨૦ ગ્રામ ધાણા પાઉડર
  ૧ ચમચી  ગાયનું ઘી
આ ત્રણેયનું મિશ્રણ કરી શેકવું. પછી બોરના ઠળિયા જેવડી ગોળીઓ બનાવવી.
રોજ સવાર-સાંજ જમતાં પહેલા એક ગોળી નિયમિત ચૂસવી. શરીર પોતે જ B12 બનાવતું થઈ જશે.
નોંધઃ ગોળી ચૂસાઈ જાય કે તરત જમવા બેસી જવું.
ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું અત્યારે છે એવું મૂક્યું હોય એવું લાગે છે..

કેટલાક ઉદાહરણો...
.1 ભાદરવામાં શ્રાદ્ધ.. 
કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગ ના બચ્ચાને માટે શ્રાદ્ધ કરવાનું કીધું.. 

2. ગુજરાતી ડીશ..
  દરરોજ શરીરમાં 40 mg જેટલા dietary fibre ની જરૂર હોય છે.. એટલે સંભારો રાખ્યો..
રોટલી કે રોટલામા વિટામિન હોય fat soluble હોય છે એટલે સાથે oily ખોરાક જેમકે શાક, અથાણું આપ્યું..
ભાત માં threlin and lysine નામના amino acid હોતા નથી પણ એ દાળ માં હોય છે એટલે દાળભાત સાથે રાખ્યા..
(Nutrition ની આટલી માહિતી હતી એ યુગ માં..)

3. ઉપવાસ
 આંતરડાં ને આરામ મળે એટલે ઉપવાસ કરવાનું સૂચવ્યું..પણ વિજ્ઞાનિક કારણ થી કીધું હોય તો કોઈ માને નહી એટલે ધર્મ સાથે જોડી દીધું..
એવું નથી કે હિન્દૂ માં જ ઉપવાસ છે..
મુસ્લિમ માં પણ છે..
એ લોકો નોન વેજ ખોરાક ખાઈ એટલે એમના પેટ માં વધુ બેક્ટેરિયા હોય એટલે સતત એક મહિનો ઉપવાસ કરવાનો રમજાન મહિનો ..

4. હોળી અને દિવાળી..
એ mass fumigation program છે..
આખા ગામ કે શહેર માંથી બધે ધુમાડો કરીને જીવજંતુઓ મરી જાય એના માટે..
(હવે આપણને એ pollution લાગે છે..પણ bike કે car ચલાવતા તો pollution યાદ નહિ આવતું..?!)

5. શિવજીને દૂધ..
શિવજીને દૂધ ચડે અને બધું દૂધ વહી પૃથ્વીના પેટાળ સુધી જાય..જેથી જે જ્વાળામુખી પેટાળ માં છે એ સમયાંતરે શાંત થતો રહે અને એના લીધે ભૂકંપનું પ્રમાણ ઘટે..

6. મંદિર 
મંદિર એ વાસ્તવિક તો મન શાંતિ માટે બનાવેલા.. 
મંદિર માં પ્રવેશતાં જ ઘંટ વગાડવાનો, ઘંટ ના અવાજ થી મગજ માં જતા vibration થી મન માં હોય એટલા બધા જ વિચારો શમી જતા..
અને ભગવાન એટલે પોતાની સાથે એકાંત.. પોતાની જાત સાથે વાત.. 
(ધર્મ સાથે જોડે એટલા માટે કે લોકો આવે..
બાકી વૈજ્ઞાનિક ભાષા કોઈ માનત કે સમજત નહિ)

7. પીપળો પાદરે!?
પીપળો ફળિયામાં વાવવાનું વિચારીએ એટલે કોઈ વડીલ કેશે કે અપવિત્ર કેવાય આંગણે ન વવાય..
જો પવિત્ર હોય તો પાદરે પૂજા શુ કામ?!
..અપવિત્ર આંગણમાં.. કેમકે પીપળો અને વડ ના મૂળ એટલા મજબૂત હોય કે દીવાલ કે મકાન નો પાયો તોડીને નીકળે.. તો મકાન નબળું પડી જાય..

8.. પીપળાની પૂજા શુ કામ?
પીપળા માં થી વધુ પ્રમાણ માં oxygen મળે છે.. એટલે એને જો પાણી મળે દર વર્ષે તો વર્ષો જુના પીપળા જીવતા રહે અને આખા ગામને oxygen મળતો રહે..

9. કોઈ પ્રસંગે આસોપાલવના તોરણ શુ કામ?
આસોપાલવનું પાન તોડી લીધા પછી પણ 24 કલાક સુધી oxygen આપતું રહે છે.. તો ઘરમાં  પ્રસંગ હોય ત્યારે બધાને પૂરતો oxygen મળી રહે એ માટે આસોપાલવના તોરણ લગાવાય..

10. પૂનમ ભરવાનું..
પૂનમ અને અમાસ ના દિવસે શરીર માં પાણી નું પ્રમાણ વધઘટ થાય છે.એના કારણે માણસને જલ્દી ક્રોધ આવી શકે.. એટલે માણસ જો આવા સમયે ધર્મસ્થાનો માં જાય તો મન શાંત રહે અને ભક્તિમય રહે તો વિનાકારણ ઝગડા ન થાય.. 

આવી તો અનેક વાતો...
જે આપણે જાણતા નથી...

પણ આટલું વાંચ્યા પછી એમ લાગે કે એ લોકો ધાર્મિક જ હતા કે મૂર્ખ હતા..?!?
એ લોકો ની સમજ ને ઓળખવા આપણે હજી ઘણું વિચારવાનું અને વાંચવાની જરૂર છે..
એ લોકો આપણી જેમ છીછરું નોતા વિચારતા એ..દૂર દ્રષ્ટાઓ હતા...